નેતૃત્વ વિહોણો મુસ્લિમ સમાજ*
ક્ષમતા, ઉદારતા, સમાનતા અને નિખાલસતા નાં શિખરે રહી સેવા કરનાર ચારિત્ર્ય નું નામ આગેવાન
શરૂઆત નાં સમય થી જ મુસ્લિમ સમાજ અંદર અંદર નાં રાજકીય દબાણ કે સત્તા લાલચમાં ચુંથાતો આવીયો છે. યોગ્ય નેતૃત્વ નો અભાવ દરેક સમાજમાં જોવા મળે છે પણ અહીં મુસ્લિમ સમાજ માટે લખવાનું કારણ ફક્ત એટલું જ છે કે, આપણી પાસે ઉત્તમ ભૂતકાળ અને તેનાં યોગ્ય આગેવાનો નું જીવન અને તેમની નેતૃત્વની ગુણવત્તા નાં ઉદાહરણો છે તે છતાં પણ આપણે એ બાબત નો અભાવ અનુભવીએ છે જે બાબત પર કોમ પ્રભુત્વશાળી હતી.
ગુણવત્તા, ઉદારતા અને કાબેલિયત નાં આધારે પહેલાં ખલિફા, ઇમામ ને નેતૃત્વ સોંપવામાં આવતું હતું. જે લોકો દરેક પ્રકારની લાલચ, મોહ-માયા અને દંભ થી દુર હતાં. જેમનાં પર બધાં જ ભરોસો કરતાં અને એકમત સાથે તેમનાં નેતૃત્વ ને સ્વીકાર કરતાં.
આજે આપણાં મુસ્લિમ સમાજમાં નેતૃત્વની ઉણપ નું કારણ શું છે?
સામાજિક, ધાર્મિક કે કોઈ પણ પ્રકારનાં નેતૃત્વમાં એકતા, ઉદારતા, કાબેલિયત કે પછી ગુણવત્તા નથી. અહિં દરેક વ્યકતિ પોતે એક નાનાં સમૂહ માં રહી આગેવાન બનવા ઇચ્છે છે. જેનાં કારણે નેતૃત્વ ની વ્યાખ્યા જ બદલાઇ જાય છે. અહિં દરેક એ વ્યક્તિ ને આગેવાન બનવું છે જે અમીર હોય અને સારા સંપર્ક ધરાવતો હોય પછી ભલે એ કોઈપણ પ્રકારના વહેવાર કરતો હોય પણ રાજકીયપાર્ટી, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થા નું નેતૃત્વ એને જ જોઈએ છે. અને અંતે થાય છે પણ એવૂ જ, કારણ કે સંસ્થા ચલાવનારા લોકો સારા ડોનર શોધે છે પછી આખો વર્ષ ઇસ્લામની વાતો કરનારાં લોકો એ નથી જોતાં કે તેની નીતિ કોમને ફાયદો પહોંચાડવાની છે કે પછી પોતાનું સામ્રાજ્ય ઊભું કરવાનું છે. કારણ એ જ કે ગુણવત્તા સભળ વ્યક્તિઓ હિમ્મત નથી કરતાં અને પ્રજા નો મિજાજ પણ શાસનકર્તાઓ ની ફરજો અને જવાબદારીઓ ના જ્ઞાનથી થી દુર છે જેથી તેઓ શાસન કર્તાઓને અનીતિ અને બેદરકારીથી રોકી શકતા નથી.
યોગ્ય ધાર્મિક શિક્ષણ, તાલીમ, વાંચન, યોગ્ય નેતૃત્વ સામાજિક અર્થતંત્ર અને શાસન વ્યવસ્થાના જ્ઞાન થી દુર રહેનારા લોકો ક્યારેય સચ્ચાઈ ને ઓળખી નહીં શકે. કારણ કે "સાચાં ની ઓળખ માટે ખોટાં થી જાણકાર હોવું જરુરી છે."
કામ દરેકને કરવું છે પણ ભરોસો નથી નેતૃત્વ પર, જેથી અંતે દરેક ને આગેવાન બનવાની ઇચ્છા જાગે છે અને નેતૃત્વ ની ઓળખ ફક્ત નાના સમૂહ સુધી સીમિત થઈ જાય છે. જેનાં કારણે ક્ષમતા, પૈસા, ગુણવત્તા અને સમાજ બધું જ વહેંચાઈ જાય છે. જેથી જૂથવાદ ને હવા મળે છે અને અંતે તે નિષ્ફળતા માં રૂપાંતર થાય છે. જેનાં કારણે સત્તા અને હોદ્દો એવા લોકો નાં હાથમાં જાય છે જેઓને ફક્ત હોદ્દા અને પ્રતિષ્ઠા ની ભૂખ હોય છે. જેઓમાં સમય અનુસાર નેતૃત્વ કરવાની અને કામ કરવાની જરાય ક્ષમતા હોતી નથી અંતે તેઓ સમાજ, સત્તા અને મિલકત ને કાબૂમાં કરવા પોતાનાં વાહિયાત વિચારો અને શક્તિઓ નો ઉપયોગ કરી ને પોતાનાં હોદ્દા ને બચાવતાં હોય છે.
જેનાં પરિણામ થી સમાજ નાં કામ કરી શકે એવા વ્યક્તિઓ અને દાતાઓ એવી આગેવાની અને સંસ્થા થી દુર થાય છે, અંતે અંતે સમાજ દરેક પ્રકારની ભૌતિક સુવિધાઓથી વંચિત રહે છે અને પછાત રહી જાય છે અને ગુલામીમાં ધકેલાઈ જાય છે.
ભુલ ક્યાંક ને ક્યાંક આપણી જ છે. ભૂલ નાગરિકોની છે આપણે લોકો પણ એવા ને જ પસંદ કરીએ છે જેઓ ખોટી રીતે કામ કઢાવી શકે અને રૂપિયા ખર્ચી શકે,ભલે પછી એ ગમે ત્યાંથી આવતો હોય. મુસ્લિમ સમાજનો આ જ મોટો પ્રશ્ન છે કે નેતૃત્વ એવા ને સોંપે છે જેઓ લાયક પણ નથી અને સમાજ માટે લાગણી પણ નથી. "એક વાત હંમેશા યાદ રાખજો કે નેતૃત્વ અને આગેવાન જયાં સુધી સમાજના દરેક નાગરિકના કાર્યની અને કદર ન કરી શકે, દરેક વર્ગના લોકોને પ્રોત્સાહિત ન કરી શકે અને ધર્મના સિદ્ધાંતો ને અનુરૂપ ન્યાય નહીં કરે ત્યાં સુધી સમાજ સંગઠિત અને વિકાસશીલ નહીં બની શકે."
લોકો નો વિશ્વાસ ના હોવાનું કારણ પણ એ જ ગુણવત્તા ને જ આધીન છે. ખુદા ની મદદ ક્યારેય આપણાં સાથે નહીં હોય જયાં સુધી આપણે આપણાં મામલાત નો ધણી યોગ્ય વ્યક્તિ ને નહીં બનાવીએ. નેતૃત્વ નાં નિયમો ને સમજવા માટે સહાબા/ખલીફાઓ નું જીવન અને તેમની ન્યાય પ્રણાલી ને ઓળખવી પડશે. વિકાસશીલ સમાજની પ્રણાલી અને શાસન વ્યવસ્થાને સમજવી પડે.
.
તો નેતા અને નેતૃત્વ કેવું હોવૂ જોઈએ?
કુરાન શરીફ નાં સાર મુજબ, જ્ઞાન એ નેતા ને સાચાં રસ્તા પર માર્ગદર્શન આપે છે,તેં પોતાનાં જ્ઞાન ને આધારે સ્થિતી ને સમજવામાં સક્ષમ હોય છે. અને સ્થિતી માં પ્રવેશ પછી તેનામાં નિર્ણય લેવાની શક્તિ હોવી જોઈએ. જો તેનાં પાસે નિર્ણય લેવાની ક્ષમતા ના હોય તો તે પોતાનાં નેતૃત્વ ને લાગું પાડવામાં અસફળ રહેશે. એટલે આગેવાન પાસે નફાનું જ્ઞાન અને હિમ્મત બન્ને હોવું જરુરી છે. શક્તિ એ માનસિક ક્ષમતા અને શારિરીક ક્ષમતા બન્નેનું નિર્દેશન કરે છે. એટ્લે આગેવાન એ જ્ઞાન, શક્તિ, ક્ષમતા અને નિર્ણય નાં નિયમો ને સ્વીકાર કરતો હોવો જોઈએ.
બુખારી શરીફ ની હદિશ શરીફ છે કે, " તમે બધાં જ ઘેંટાપાળકો છો અને પ્રત્યેક ને તમારાં ઝુંડ વિશે પૂછવામાં આવશે." અહિં નેતૃત્વ નો ઈશારો જ એક ઉદાહરણ દ્રારા સમજાવવામાં આવેલ છે.
નેતૃત્વ એ એક ટીમ વર્ક નું નામ છે. જેમાં કામ ની સફળતા અલ્લાહ ની મદદ અને યોગ્ય સમર્થકો ની મદદ થી જ થાય છે. જેમાં આગેવાન ની સાથે સાથે સમર્થકો માં પણ એ જ ગુણવત્તા અને જ્ઞાનનાં દર્શન થવા જોઇએ.
Social Plugin