...✍✍✍
માણસ અને સમાજ વચ્ચે અવિનાભાવી સંબંધ છે. માણસ છે તો સમાજ છે, સમાજ છે તો માણસાઇ છે. માણસની કિંમત સમાજથી જ છે. સંગઠનોની સફળતા સમાજ થકી થાય છે. સંગઠનના હોદ્દેદારો અને સમાજના આગેવાનો સમાજ થકી જ ઉજળા છે તે ભૂલવું ન જોઈએ.
સમાજને સમજવો પડે, સમાજને સમજવો કઠિન છે તેમ છતાં સમજ્યા વગર ચાલશે નહીં. જે સમાજને સમજવા સમર્થ બની જાય છે તે સમાજનો હિતચિંતક બની રેહશે. સામાજિક પ્રતિબદ્ધતા નિભાવવા કેટલાય પ્રશ્નો છે, અપવાદો છે. એનાથી ડરી જઈને સામાજિક પ્રતિબદ્ધતા નું કામ ટાળી દેવું યોગ્ય નથી. કામ કરનારે પૂરી ઈમાનદારીથી કામ કરવું જોઈએ તે અતિ આવશ્યક છે, જરૂરી છે , કામ કરનારની કેટલીક મર્યાદાઓ તો રહેવાની જ, આ કાર્યથી સમાજને લાભ થવાનો છે મહેનત એળે જવાની નથી. મારા મતે સમાજ ખુબ જ મહત્વનો છે સૌના ભલામાં આપણું ભલું છે એ ન્યાયે આપણે સમાજના હિતમાં કાર્ય કરવું જ જોઈએ....
જેવી રીતે એક પરિવારમાં પિતાની જવાબદારી બને છે કે પરિવારના દરેક સભ્યના ભવિષ્યની, કેળવણીની, કારકિર્દીની, આરોગ્યની ,ભૌતિક સુવિધાઓની, તેમના હકો અને અધિકારો ના રક્ષણની ,ન્યાય એકતા અને સંપની મહેનત કરે અને આ દરેક જવાબદારી નિભાવનાર પિતાને સફળ પિતા કહીશું
તેવી જ રીતે સમાજના નાગરિકો દ્વારા પસંદ કરાયેલા અને નિમણૂક કરાયેલા આગેવાનો, હોદ્દેદારો અને પ્રતિનિધિઓની જવાબદારી બને છે કે સમાજના દરેક વર્ગના નાગરિકો માટે ભૌતિક સુવિધાઓ ઊભી કરવી તેમના હકો અને અધિકારોનું રક્ષણ કરવું, સમાજમાં ન્યાય અને વિશ્વાસનું વાતાવરણ બનાવી રાખવા માટેની દરેક પ્રકારની પ્રવૃત્તિઓ કરે. અને આ દરેક પ્રકારની ની ફરજો અને જવાબદારીઓ નિભાવનાર આગેવાનો હોદ્દેદારો અને પ્રતિનિધિઓને આપણે સફળ આગેવાનો અને સફળ નેતૃત્વ કહીશું....✍✍✍
Social Plugin