વર્તમાન સમયમાં વ્યસન આપણા સમાજ માટે ખૂબ જ ગંભીર સમસ્યા બની ગયું છે. તે માત્ર વ્યક્તિના શારીરિક અને આર્થિક નુકસાન સુધી મર્યાદિત રહેતું નથી, પરંતુ સામાજિક વ્યવસ્થાઓને ડામાડોળ કરી દે છે. દારૂ, તમાકુ, ગુટકા, સિગરેટ, માવા, ડ્રગ્સ વગેરેના વ્યસનના કારણે માનવીના જીવનમાં એ અભિશાપ રૂપે સ્થાયી થાય છે. યુવાનો, નાની ઉંમરના બાળકો, સ્ત્રીઓ અને વડીલો—કોઈ પણ વર્ગ કે ઉંમર આ વ્યસનના શિકાર થવાથી બચી શકતો નથી. આ વ્યસન શારીરિક બિમારીઓ જેવા કે કેન્સર, ટીબી, હાર્ટ એટેક જેવી જીવલેણ પરિસ્થિતિઓ સર્જે છે, જ્યારે આર્થિક રીતે વ્યક્તિ અને પરિવારને ગરીબીના ભયાનક ચક્રમાં ધકેલી દે છે.
આને અટકાવવા માટે માત્ર વ્યક્તિગત પ્રભાવ નહીં, પરંતુ સામાજિક જાગૃતિ અને ધર્મગુરૂઓ , આગેવાનોના પ્રયાસોની જરૂર છે. આ લેખમાં આપણે વ્યસનની લતના કારણો, તેની અસર, તે અટકાવવા માટેના પ્રયાસો અને તેના ફાયદાઓનું વિસ્તૃત રીતે મૂલ્યાંકન કરીશું.
1. વ્યસન પેદા થવાના કારણો:
વ્યસન ઘણીવાર વ્યક્તિગત કારણો સાથે જોડાયેલું હોય છે, પરંતુ સામાજિક અને આર્થિક પરિબળો પણ મહત્વનો ભાગ ભજવે છે. વ્યસનની શરૂઆતનું મૂળ આકાર્યક સ્થિતિઓ અને માનસિક દબાણમાં છુપાયેલું છે. નીચે એના મુખ્ય કારણોની વિગત છે:
- મનોવૈજ્ઞાનિક દબાણ:
વર્તમાન જીવનમાં કામનો ભાર, નોકરીની અસ્થિરતા કે પરીક્ષાનો તણાવ, પ્રિયજનોનું મૃત્યુ, દાંપત્ય જીવનમાં ખોટ, ફેમિલી પ્રોબ્લેમ્સ, અંગત જીવનમાં નિરાશા અને મુશ્કેલીઓ. અને વ્યક્તિગત જીવનની આકાંક્ષાઓ પૂરી ન થવા જેવી પરિસ્થિતિઓ માનસિક દબાણ પેદા કરે છે. આ દબાણમાંથી મુક્ત થવા માટે લોકો દારૂ, સિગારેટ કે તમાકુ જેવા પદાર્થોની આદત અપનાવે છે, જે હળવાશ આપી શકે પરંતુ લાંબા ગાળે વ્યસનનું સ્વરૂપ ધારણ કરે છે. તણાવને વધુ વધારવાનું કામ કરે છે.
- મિત્રવર્તુળનો પ્રભાવ:
ખાસ કરીને યુવાન અવસ્થામાં, મિત્રો કે ઓળખીતાઓના દબાણ અથવા "કૂલ લાગવા" માટે આ વ્યસન શરુ થાય છે. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓ મિત્રવર્તુળમાં પ્રભાવશાળી દેખાવાનું માધ્યમ છે. એકવાર આ પ્રેક્ટિસ મજા માટે કરવામાં આવે, ત્યારબાદ તે વ્યસનમાં ફેરવાય છે. ઘણી વખત મિત્રોની પ્રેરણાથી શરૂ થતી આ આદત આગળ જિંદગી માટે હાનિકારક બનતી જાય છે.
- પરિવાર અને સામાજિક પરિબળો:
તૂટી ગયેલા સંબંધો, પરિવારના અથડામણો, ઘરમાં શાંતિનો અભાવ અથવા વ્યક્તિગત સંઘર્ષ વ્યક્તિને આ લત તરફ ધકેલે છે. આ ઉપરાંત, ગરીબી અને રોજગારીની અછત પણ વ્યસનની શરૂઆત માટે જવાબદાર છે.
- જ્ઞાનની અછત, પ્રચાર અને બજારની યુક્તિઓ:
બાળકો અને યુવાઓ માટે યોગ્ય માર્ગદર્શનના અભાવે તેઓ આ પ્રકારના પદાર્થોમાં જીવસાથી શોધે છે. ભલે સરકારી રીતે તમાકુ અને દારૂના પ્રસારણ પર પ્રતિબંધ હોય, છતા પડદા પાછળ આ વસ્તુઓના પ્રચાર અને ઉપલબ્ધતા પ્રોત્સાહન આપે છે.
2. વ્યસનથી થતા નુકસાન:
વ્યસનનો પ્રભાવ માત્ર વ્યક્તિ પર નહીં, વ્યસન વ્યક્તિના સ્વાસ્થ્ય, પરિવાર, અને સમાજના બધા જ પાસાઓ પર નકારાત્મક અસર કરે છે.
શારીરિક નુકસાન:
- જીવલેણ બીમારીઓ:
તમાકુ કે દારૂનો વપરાશ હાર્ડ ટિશ્યૂઝને નુકસાન પહોંચાડે છે, જે કેન્સર, ટીબી, હૃદયરોગ અને ફેફસાના રોગો માટે જવાબદાર છે.
- માનસિક નુકસાન:
વ્યસન મગજના રાસાયણિક સંતુલનમાં ફેરફાર કરે છે, જેનાથી ડિપ્રેશન, ચિંતા અને આક્રોશ વધી શકે છે. વ્યસનગ્રસ્ત વ્યક્તિની નિષ્ણાતતા અને સ્વતંત્ર વિચારો પર અસર થાય છે.
- રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો:
વ્યસન શરીરના રોગોને સામે લડવાની ક્ષમતાને ઓછું કરે છે, જેનાથી સામાન્ય રોગો પણ ગંભીર બની જાય છે.
આર્થિક નુકસાન:
- ઉચ્ચ ખર્ચ:
દારૂ, તમાકુ જેવા પદાર્થો પર માસિક ખર્ચ ધીમે ધીમે પરિવારમાં આર્થિક તંગી લાવે છે.
- ચિકિત્સા ખર્ચ:
આ વ્યસનથી જન્મેલા રોગોનું મોંઘું સારવાર પરિવારને આર્થિક રીતે કંગાળ બનાવી દે છે.
- રોજગારીમાં અવરોધ:
વ્યસનગ્રસ્ત વ્યક્તિ પોતાની કાર્યક્ષમતામાં ઘટાડો લાવે છે, જેના કારણે નોકરી ગુમાવવાની શક્યતા વધી જાય છે
સામાજિક નુકસાન:
- પરિવારના તૂટેલા સંબંધો:
વ્યસનગ્રસ્તના ગુસ્સા, બેદરકારી અને ખરાબ વલણના કારણે ઘરના લોકો સાથેના સંબંધ તૂટી જાય છે.
- ગુનાખોરીમાં વધારો:
ક્યારેક લત પૂરી કરવા માટે ચોરી, લૂંટફાટ અને હિંસાના બનાવોમાં વધારો થાય છે.
- બાળકો અને સ્ત્રીઓ પર અસર:
નિર્દોષ બાળકો યતીમ બને છે, સ્ત્રીઓ વિધવા બને છે, અને વડીલોને શારીરિક અને માનસિક ટેકો ગુમાવવા પડે છે.
3. વ્યસન અટકાવવા માટેના પ્રયાસો:
જાગૃતિ અભિયાન:
- સ્કૂલો, કોલેજો તથા પ્રિંટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા વ્યસનથી થતા નુકસાનો અંગે સત્તત જાગૃતિ લાવવી જોઈએ.
- વ્યસન વિરોધી થિયેટર શો, શોર્ટ ફિલ્મ્સ અને સામૂહિક સભાઓ દ્વારા લોકો સુધી માહિતી પહોંચાડવી.
કાનૂની અમલ:
- દારૂ અને તમાકુ વેચાણની નીતિ વધુ કડક બનાવવી જોઈએ. દારૂ અને તમાકુના વેચાણ પર નિયંત્રણ લાવવું.
- ગેરકાયદેસર વેચાણમાં સંકળાયેલા લોકો સામે કડક પગલાં લેવું જોઈએ.
- સ્થાનિક સમાજની ભૂમિકા મહત્વપૂર્ણ છે.
ફેમિલી કાઉન્સેલિંગ:
- વ્યસનગ્રસ્ત લોકો અને તેમના પરિવારજનો માટે કાઉન્સેલિંગ સત્રો યોજીને તેમની સમસ્યાઓને સમજવી અને તે માટે થેરાપી ઉપલબ્ધ કરવી અને માનસિક સહાય પૂરી પાડવી.
પુનર્વસન કેન્દ્રો:
- વધુ પુનર્વસન કેન્દ્રો ઊભા કરવા, જ્યાં વ્યસનમુક્તિ માટે મફત અને ગુણવત્તાવાળી સારવાર મળે.
- આ કેન્દ્રોમાં શારિરીક અને માનસિક ટેકો માટે વિશેષ તબીબોની ટીમ રાખવી.
- પુનર્વસન કેન્દ્રો માટે વધુ સંસાધન ઉપબલ્ધ કરવું, જ્યાં વ્યસનમુક્તિ માટે વ્યાવસાયિક સહાય મળે.
યુવાનો માટે વિકલ્પો:
- રમતગમત, કલા અને અન્ય શોખીનું પ્રવૃત્તિઓ પ્રોત્સાહિત કરવી.
- યુવાવર્ગ માટે રોજગારીના વધુ વિકલ્પો ઉભા કરવા.
4. વ્યસન અટકાવવાના ફાયદા:
શારીરિક ફાયદા:
- રોગપ્રતિકારક શક્તિમાં વધારો અને લાંબા ગાળાનું સ્વસ્થ જીવન. કેન્સર, ટીબી, હૃદયરોગ જેવી જીવલેણ બીમારીઓની શક્યતા ઘટે છે.
- વ્યસનમુક્ત વ્યક્તિ વધુ સક્રિય અને સ્વસ્થ બને છે.
આર્થિક ફાયદા:
- પરિવારના ખર્ચામાં ઘટાડો અને બચતમાં વધારો થવાથી જીવનની ગુણવત્તા વધે છે.
- આર્થિક સ્થિરતા પરિવારને મજબૂત બનાવે છે.
સામાજિક ફાયદા:
- પરસ્પર પ્રેમ અને શાંતિ વધે છે.
- ગુનાખોરીમાં ઘટાડો થાય છે, અને સામાજિક વ્યવસ્થાઓ સુધરે છે.
આગામી પેઢી માટે પ્રેરણા:
- વ્યસનમુક્ત સમાજ આગમી પેઢીને આ લતમાંથી દૂર રહેવા માટે પ્રોત્સાહન આપે છે.
નિષ્કર્ષ:
આ સમસ્યાને ઉકેલવા માટે વ્યક્તિગત સ્તરે શિસ્ત, સમાજના સ્તરે જાગૃતિ, અને સરકારના સ્તરે કડક નીતિ અમલ કરવી જરૂરી છે. શારીરિક સ્વાસ્થ્ય, આર્થિક સુખાકારી અને સામાજિક સુખ માટે આ સમસ્યાનો ઉકેલ અત્યંત અનિવાર્ય છે. આપણે સૌ સાથે મળીને આ અભિયાનનું સક્રિય ભાગીદાર બનવું જોઈએ અને
ભવિષ્યની પેઢી માટે એક વ્યસનમુક્ત અને સકારાત્મક પરિબળોવાળું સમાજનું નિર્માણ કરવુ જોઈએ....
0 Comments
Coments