આર્ટીકલ

6/recent/ticker-posts

💁‍♂️ દરેક ધર્મ-જાતિના સમાજના વિકાસમાં નિખાલસ લોકોની ઘટતી ભૂમિકા ..✍️✍️✍️

 


💁‍♂️ દરેક ધર્મ-જાતિના સમાજના વિકાસમાં નિખાલસ લોકોની ઘટતી ભૂમિકા ..✍️✍️✍️ 

     દરેક સમાજમાં નેક અને બુદ્ધિશાળી લોકો હંમેશા યુવાઓના ભવિષ્ય માટે, વિકાસ માટે, અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રયત્નશીલ રહે છે. પરંતુ, અનેકવાર સત્તા, પ્રતિષ્ઠા અને આર્થિક લાભ માટે તત્પર રહેનાર લોકો તેમના વિરુદ્ધ કામગીરી કરે છે. આ પ્રકારના લોકો નિખાલસ વ્યક્તિઓને માનસિક રીતે હેરાન કરવા અને તેમના ઉત્સાહને દાબી દેવા પ્રયત્ન કરે છે.  

    આવા લોકો કટકી, ચંદા, અને ફંડા પર નિર્ભર હોય છે, અને સત્યનાં કાર્ય કરનાર વ્યક્તિઓ સામે ષડયંત્ર રચે છે. ખોટી બબાલ ઊભી કરે છે. તેઓ નિખાલસ વ્યક્તિઓને માનસિક દબાણ હેઠળ રાખી, તેમને સમાજની પ્રવૃત્તિઓથી દૂર કરવાનું કામ કરે છે. સાચા લોકો જ્યારે હક વાત કરે છે, ત્યારે ખોટી મંડળી તેમને રોકવા માટે એક થાય છે. પરિણામે, સાચા માણસો શાંતિથી પોતાની મર્યાદામાં રહી કામ કરવાનો માર્ગ પસંદ કરે છે.

    દુર્ભાગ્યવશ, આ પરિસ્થિતિમાં અનેક સારા લોકો સામાજિક સેવા અને વિકાસ પ્રવૃત્તિઓથી દૂર થઈ જાય છે. તેઓ માને છે કે સમાજને મદદ કરવી જરૃરી છે, પરંતુ ખોટી ચિંતાઓ અને દબાણમાં પડવું જરૂરી નથી. ટેન્શન તણાવ ભર્યા વિવાદમાં પડવાથી તેમના જીવનના મહત્વપૂર્ણ પાસાઓ અસરગ્રસ્ત થાય છે.

   આ માળખું દરેક સમાજ માટે દુર્ભાગ્યપૂર્ણ છે, કારણ કે નિખાલસ લોકોનો ઘટાડો સમાજના વિકાસ માટે મોટી ખોટ સમાન છે. જો સમાજમાં આવા નિખાલસ સત્યપ્રેમી લોકોને પ્રોત્સાહન, સુરક્ષા અને સહયોગ મળે, તો વિકાસની નવી મંજિલો હાંસલ કરી શકાય છે....

સારાંશ 

ઉપાય એ છે કે, નેક લોકો એકઠા થઈને જાગૃતિ ફેલાવે, સત્ય અને ન્યાય માટે લડે, અને ખોટા તત્વો સામે કાનૂની કાર્યવાહી કરે. આ રીતે, સમાજમાં વિકાસ અને સકારાત્મક બદલાવ શક્ય છે.


Post a Comment

0 Comments