કુરાનની તિલાવત નો મુખ્ય હેતુ
ઇસ્લામમાં કુરાન નું ખૂબ જ મહત્વ છે એક મુસલમાન તરીકે તેના પર ઈમાન શ્રદ્ધા લાવવું જરૂરી છે કેમકે કુરાન આસમાનમાંથી ઉતારેલી કિતાબો માંથી એક છેલ્લી કિતાબ છે લેટેસ્ટ વર્ઝન છે અલ્લાહ દ્વારા કરાયેલી આકાશવાણીનો સંગ્રહ છે આગળની બધી જ આસમાની કિતાબો નો સાર કુરાનમાં આવી ચૂક્યા છે
કુરાનમાં સૃષ્ટિના સર્જન થી સૃષ્ટિના વિનાશ સુધીની દરેક બાબતોનો ઉલ્લેખ થયેલો છે કુરાનમાં દરેક જીવના જીવવાના સિદ્ધાંતોનો ઉલ્લેખ છે કુરાનમાં ઇન્સાનના પેદાશ થી લઇ અને મૃત્યુ સુધીના જીવન જીવવાનું બંધારણ છે કુરાનમાં અલ્લાહની શક્તિ કુદરત અને ચમત્કાર નો ઉલ્લેખ છે કુરાનમાં સૃષ્ટિની દરેક વસ્તુ નો સદુપયોગ કરવાની રીત નો ઉલ્લેખ છે કુરાનમાં સૃષ્ટિ પર અમન શાંતિ અને ભાઈચારો જળવાઇ રહે તે માટેના નિયમોનું ઉલ્લેખ છે કુરાનમાં સૃષ્ટિના સંચાલન માટેના અલ્લાહના ઝીણામાં ઝીણા સિદ્ધાંતોનું વર્ણન છે જેને આપણે વૈજ્ઞાનિક શોધો કહીએ છીએ તેના સદુપયોગ ને ટેકનોલોજી કહીએ છીએ
એટલા માટે જ ઇસ્લામમાં મુસલમાનોને કુરાન ની તિલાવત નો આદેશ છે હુકમ છે પરંતુ આપણે તિલાવત શબ્દ નો અર્થ સમજ્યા નથી
તીલાવત નો ખરો અર્થ પઠન થાય છે પણ આપણે એને વાંચનનો અર્થ સમજ્યા છીએ વાંચન કરવું અને પઠન કરવું બંનેમાં ફરક છે.
કોઈપણ વસ્તુ નું વાંચન કરવું ફક્ત માહિતી માટે તેને વાંચન કહેવાય.
પરંતુ કોઈ પણ વસ્તુ ને સમજી અને જીવનમાં કર્મ રૂપે અમલ રૂપે જીવંત કરવાના હેતુથી વાંચન કરવું તેને પઠન કહેવાય તેને તિલાવત કહેવાય.
જે વસ્તુ ની જીવનમાં કર્મ રૂપે અમલ રુપે જીવંત કરવું હોય તે વસ્તુને વારંવાર પઠન કરવાનું અને તિલાવત કરવાનું હુકમ કરવામાં આવે છે એટલે ઇસ્લામમાં કુરાન ની તિલાવત નો હુકમ છે.
જે વસ્તુ ને જીવનમાં જીવંત કરવી હોય તેને માતૃભાષામાં સમજવી પડે.
કુરાન ને સમજી અને જીવનમાં જીવંત કરવા માટે માતૃભાષામાં પઠન કરવું પડે તિલાવત કરવી પડે અથવા કુરાન જે ભાષામાં હોય તે ભાષાની માતૃભાષા જેટલી જાણકારી મેળવી પડે ....શીખવી પડે.
આજે આપણે કુરાન કંઠસ્થ કરી નાખીએ છીએ એક મહિનામાં બે થી ત્રણ વાર કુરાનનું વાંચન પણ કરી નાખીએ છીએ પણ આપણું જીવન તેના આદેશથી કર્મથી અમલથી ખાલી છે કારણકે વાંચન કર્યું છે તિલાવત નથી કરી. વાંચન પણ સવાબથી ખાલી નથી તેથી સવાબ તો મળી જશે પણ જીવનમાં જે કર્મ અને અમલ જીવંત થવા જોઈએ તે થશે નહીં
તિલાવત ત્યારે થઈ કહેવાય જ્યારે તેને માતૃભાષામાં સમજ પડી હોય અને જ્યારે માતૃભાષામાં સમજ પડે ત્યારે જ કર્મ રૂપે અમલ રૂપે જીવનમાં જીવંત થાય. જ્યારે કુરાન જીવનમાં કર્મ રૂપે અમલ રૂપે જીવંત થશે ત્યારે દુનિયામાં અમન શાંતિ અને ભાઈચારો પેદા થશે એક મુસલમાન દરેક જીવને મદદરૂપ થશે સહાયરૂપ થશે અને તેનો આ દુનિયામાં પેદા થવાના મકસદ પર જીવતો થશે અને ત્યારે જ મુસલમાન દુનિયામાં શાસક બની શકશે મારા અંદર પેદા થયેલા આ વિચારો એક અમાનત હતી તેથી મેં લખાણ દ્વારા બીજા સુધી પહોંચાડી દીધા અમુ કોઈ ભૂલ હોય તો હું મારી જાતને ઈસલાહ કરવા તૈયાર છું ઇન્શાલ્લાહ🤲🤲🤲🤲🤲🤲
👉એક સફળ પ્રયોગ
એક પ્રખ્યાત બિરયાની ના કારીગર પાસેથી બિરયાની બનાવવાની રીતને તરીકાને પદ્ધતિને એક નિબંધ સ્વરૂપે લખવામાં આવ્યું પછી આ બિરયાની ના નિબંધ ને ત્રણ ભાષામાં લખવામાં આવ્યો ગુજરાતી અરબી અને અંગ્રેજી.
હવે એવી ત્રણ વ્યક્તિ પસંદ કરવામાં આવી જેમાં ત્રણે વ્યક્તિની માતૃભાષા ગુજરાતી છે અને ત્રણે વ્યક્તિને અરબી અને અંગ્રેજી વાંચતા આવડે છે સમજતા આવડતું નથી.
આ ત્રણ ભાષામાં લખેલા બિરયાનીના નિબંધને ત્રણે વ્યક્તિઓને સોંપવામાં આવે છે.
ગુજરાતી ભાષામાં લખેલો બિરયાની ના નિબંધ ને જે વ્યક્તિને આપવામાં આવે છે તે વ્યક્તિને દિવસમાં 15 વખત પઠન કરવાનું કહેવામાં આવે છે
અરબી ભાષામાં લખેલ બિરયાની ના નિબંધ જે વ્યક્તિને આપવામાં આવે છે તે વ્યક્તિને દિવસમાં ૩૦ વખત પઠન કરવાનું કહેવામાં આવે છે.
અંગ્રેજી ભાષામાં લખેલ બિરયાની ના નિબંધ ને જે વ્યક્તિને આપવામાં આવે છે તે વ્યક્તિને દિવસમાં ૩૦ વખત પઠન કરવાનું કહેવામાં આવે છે
આ કાર્ય અમલ ત્રણે વ્યક્તિને એક મહિનો સુધી કરવાનું કહેવામાં આવે છે
એક મહિનાની અંતે માતૃભાષામાં લખેલો નિબંધ જે વ્યક્તિને આપવામાં આવ્યો હતો તે વ્યક્તિ બિરયાની બનાવતા શીખી ગયો અને બિરયાની બનાવવાનું અમલ જીવનમાં જીવંત થઈ ગયું. કારણ કે પઠન માતૃભાષામાં હતું
જે બે વ્યક્તિઓને અરબી અને અંગ્રેજીમાં લખેલો નિબંધ આપવામાં આવ્યો હતો તે બન્ને વ્યક્તિઓને નિબંધ તો કંઠસ્થ થઇ ગયા હતા પણ તે અંગ્રેજી અને અરબી જબાન નું માતૃભાષા માં રૂપાંતર ની જાણકારી ન હોવાને કારણે કંઈ સમજ ન પડી અને બિરયાની બનાવતા શીખી શક્યા નહીં અને બિરયાની બનાવવાનું અમલ જીવનમાં જીવંત થયું નહીં.
જો મુસલમાનોનું જીવન કુરાનના ના આદેશ મુજબ નું કરવું હોય તો કુરાન ની તિલાવત માતૃભાષામાં કરવામાં આવે અથવા અરબી ભાષાને વાંચતા સમજતા અને બોલતા એટલે કે માતૃભાષા બરાબર શીખવામાં આવે...... શીખવાડવામાં આવે....
ઈસરાઈલ અરોડિયા ભાંખરી......
94276 46283
0 Comments
Coments