આર્ટીકલ

6/recent/ticker-posts

સમાજની નવરચનામાં યુવાઓની ભૂમિકા


સમાજની નવરચનામાં યુવાઓની ભૂમિકા

યુવાનોની વાત થાય તો તેમને હંમેશ ઘર, સમાજ, દેશ અને દુનિયાની તાકાત સ્વરૃપે જોવામાં આવે છે. આ યુવાનો સમાજના કરોડરજજુ છે. પરંતુ આ વાત ત્યારે જ સાચી કહેવાશે જ્યારે તેઓમાં કેટલીક વિશેષતાઓ હોય જે એક આદર્શ યુવાનને રજૂ કરતી હોય. તેમાંની કેટલીક આ છે; (૧) અલ્લાહથી સંબંધ, (૨) નૈતિક ચારિત્ર્ય, (૩) જવાબદારીનું એહસાસ.

યુવાનમાં આ વિશેષતાઓ હોય તો જ સમાજની દિશા બદલી શકાય અને સમાજમાં ન્યાય તથા શાંતિનું વાતાવરણ ઉભુ કરી શકાય. આ તે ત્રણ વિશેષતાઓ છે જે સમાજના યુવાનોમાં પેદા ન થાય તો સમાજ પ્રગતિના સ્થાને અદ્યોગતિ કરશે અને સમાજમાં દયા, પ્રેમ, જાન-માલની સુરક્ષાની જગ્યાએ જુલ્મ, હિંસા, ઘૃણા અને અન્યાય જેવી ઘટનાઓ જન્મ લેશે.

પરંતુ એક પ્રશ્ન ઉભું થાય છે કે યુવાનોને આવું પ્રશિક્ષણ આપે કોણ? અફસોસ સાથે કહેવું પડે છે કે આપણા સમાજના વડીલો અને હોદ્દેદારો યુવાનો પ્રત્યે ઉદાસીન વલણ દાખવે છે. તેઓ યુવાનોને તેમની જવાબદારી વિશે જાગૃત કરતા નથી. ન તેમના પ્રત્યે ગંભીર છે. પોતાના રાજનીતિક અને ભોતિક સ્વાર્થ માટે તેમનો ઉપયોગ કરે છે અને તેમને મોજ-મજા-મસ્તીના તૂફાનમાં છોડી દે છે. જ્યારે આ યુવાનો હિંસા લૂંટમાર, વ્યભિચાર વગેરે જેવી બુરાઈઓના રવાડે ચડે છે તો આ મોટેરાઓ સરળતાથી કહી દે છે કે આજે યુવાનો સમાજ માટે ખતરારૃપ બની ગયા છે. હું વળતો પ્રશ્ન કરૃં છું આ કહેવાતા સમાજના વડીલો અને સમજુ લોકોથી કે તેમણે ક્યારેય યુવાનોને સાચી દિશા આપવા પ્રયત્ન કર્યા?! શું તેમના પ્રશિક્ષણની વ્યવસ્થા કરી? મને વિશ્વાસ છે તેમનો જવાબ નહીં માં હશે. જરૃર છે એવા વડીલોની જે યુવાવર્ગનું યોગ્ય માર્ગદર્શન કરે. યુવાનોનું જોશ અને વડીલોનું માર્ગદર્શન તથા અનુભવ મળી ને જ સમાજમાં સારો પરિવર્તન આવી શકે છે.

Post a Comment

0 Comments