આર્ટીકલ

6/recent/ticker-posts

જિમ્મેદારી સ્વીકારો..





🇮🇳જિમ્મેદારી સ્વીકારો....✍✍✍

        જિમ્મેદારી તે વ્યક્તિ તરફ લોહચુંબકની જેમ ખેંચાતી જાય છે જે તેને પોતાના ખભા પર ઉઠાવી શકે છે.
   જ્યારે જે કોઈ વ્યક્તિ જિમ્મેદારી સ્વીકારી રહ્યો હોય છે ખરેખર તે પોતાની પ્રતિષ્ઠા અને પ્રગતિના દરવાજા ખોલી રહ્યો હોય છે. જિમ્મેદારી સ્વીકારવાની ભાવના એ વ્યક્તિની સમજદારી, પુખ્તતા અને પરિપકવતા નું પ્રદર્શન કરે છે. જિમ્મેદારી સ્વીકાર કરવાની ભાવના એ વ્યક્તિની સમજદારી, નજરીયો,  દૃષ્ટિકોણ અને કેળવણીનું પ્રદર્શન કરે છે.

        જે વ્યક્તિ જિમ્મેદારી સ્વીકાર્યા વગર પોતાના અધિકારોનો ઉપયોગ કરે છે તેને એક દિવસ પોતાના અધિકારો અને હક  પણ ખોવા પડે છે.
       આપણા દેશની સમાજ વ્યવસ્થા અને પ્રાચીન સંસ્કૃતિ શીખવાડે છે કે દરેક વ્યક્તિની પ્રથમ જિમ્મેદારી સમાજ પ્રત્યે છે, પછી પરિવાર કુટુંબ પ્રત્યે છે, અને છેલ્લે પોતાની જાત પ્રત્યે છે. જે સમાજ, કોમ અને દેશના નાગરિકોનો આ ક્રમ ઉલટો હોય છે તેનું અવશ્ય પતન થાય છે. આપણી સમક્ષ ઇતિહાસ ગવાહ છે. સામાજિક જિમ્મેદારી એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે. જિમ્મેદારી અને આઝાદી સ્વતંત્રતા બંને એકબીજાના હાથ પકડીને ચાલે છે જ્યાં લોકો જિમ્મેદારી સ્વીકારતા નથી તે લોકોને ગુલામી સ્વીકારવી પડે છે. સ્વતંત્રતા અને મહાનતાની કિંમત જિમ્મેદારી છે.

         સમાજ અને દેશની બરબાદી ચોર , ડાકુ , વ્યભિચારી,  ભ્રષ્ટાચારી અને જુલમી લોકોથી એટલી નથી થતી જેટલી સમાજ અને દેશના સારા સમજદાર લોકોની નિષ્ક્રિયતા થી થાય છે. દેશ અને સમાજના સારા અને સમજદાર લોકોની નિષ્ક્રિયતા અને ખામોશી વ્યભિચાર, ભષ્ટાચાર, અન્યાય, ગુલામીપ્રથા, અત્યાચાર અને પતનના ના વૃક્ષોને ખાતર પાણી પૂરું પાડે છે....✍✍✍✍