🇮🇳🇮🇳 સમાજના નાગરિકોમોં સામાજિક ભાવના અને લાગણી પેદા કરવા, પારિવારિક નેતૃત્વ દાખવવા અને કુટુંબમાં આગેવાની કરવા ની કાબેલિયત પેદા કરવા માટે શું કરવું જોઈએ?...✍✍✍
આપણે પરિવારના ઉદાહરણ સાથે સમજવાની કોશિશ કરીશું જે માબાપ એવું ઈચ્છતા હોય કે મારા બાળકો વાણી, વિચાર અને વર્તન માં સારા બને તો પ્રથમ વાણી, વિચાર અને વર્તન માં તેમને સારા બનવું જરૂરી છે કારણ કે બાળકોની અંદર એ જ માન્યતા દ્રઢ થતી હોય છે જે તેઓના મા-બાપની જિંદગીમાં જોતા હોય છે. બાળકો સૌથી વધુ વિશ્વાસ અને ભરોસો એ કાર્યો પર કરતો હોય છે જે પોતાના મા-બાપની જિંદગીમાં નિહાળતા હોય છે. જે મા બાપ એવું ઇચ્છતા હોય કે પોતાના બાળકો પરિવાર પ્રત્યે ભાવનાત્મક અને લાગણીશીલ બને, પરિવારમાં સફળ નેતૃત્વ દાખવે તો માબાપે પ્રથમ પરિવાર પ્રત્યે ભાવનાત્મક અને લાગણીશીલ બનવું જરૂરી છે. જે દરેક ધર્મની કેળવણી નો નિયમ છે.
જે માબાપ બાળકોને ઉત્તમ પ્રકારનું દીન અને દુનિયાનું શિક્ષણ આપી કેળવણી કરે અને તેમની કારકિર્દી ઘડવામાં દરેક પ્રકારની કુરબાની આપે છે તેમને આપણે સફળ મા-બાપ કહીએ છીએ. અને પરિવાર પ્રત્યેની ફરજો અને જવાબદારીઓ નિભાવી છે એવું કહેવાય.
એવી જ રીતે સમાજના આગેવાનો, હોદ્દેદારો અને પ્રતિનિધિઓ સમાજના નાગરિકો માટે એક મા-બાપ જેટલું જ મહત્વ ધરાવે છે. જો સમાજના આગેવાનો હોદ્દેદારો અને પ્રતિનિધિઓ એવું ઈચ્છતા હોય કે સમાજના નાગરિકો સમાજ પ્રત્યે ભાવનાત્મક, લાગણીશીલ અને જવાબદાર બને તો પ્રથમ સમાજના આગેવાનો, હોદ્દેદારો અને પ્રતિનિધિઓને સમાજ પ્રત્યે ભાવનાત્મક, લાગણીશીલ અને જવાબદાર બની ઉદાહરણ પૂરું પાડવું જરૂરી છે કારણ કે સમાજના નાગરિકોને સમાજના આગેવાનો, હોદ્દેદારો અને પ્રતિનિધિઓ ના કર્તવ્યો અને નીતિ પર સૌથી વધુ વિશ્વાસ હોય છે. અને તેમનું અનુકરણ કરતા હોય છે. સમાજના આગેવાનો, હોદ્દેદારો અને પ્રતિનિધિઓ ના વાણી, નીતિ, વિચાર અને વર્તન ની સમાજના નાગરિકો પર ઊંડી અસર પડતી હોય છે.
જે સમાજના આગેવાનો સમાજના યુવાઓમાં અને બાળકોમાં નવું નવું શીખવાની અને જાણવાની ભૂખ પેદા કરી શકે, સમાજને સંગઠિત બનાવવા, શિક્ષણ અને કારકિર્દીને ઉજ્જવળ બનાવવા દરેક પ્રકારની ભૌતિક સુવિધા ઉભી કરવા સમાજના નાગરિકોમાં તન મન અને ધનથી સાથ સહકાર આપવા તૈયાર કરે અને સમાજના નાગરિકો અને સાહસિકોની ઉપલબ્ધિઓ ની કદરરૂપે પ્રોત્સાહિત અને સન્માન કાર્યક્રમોનું આયોજન કરે તે સમાજના આગેવાનો સફળ આગેવાનો ગણાય છે. વર્ષ દરમ્યાન થતા કાર્યક્રમો ની સંખ્યા અને સમાજમાં ઊભી થયેલી ભૌતિક સુવિધાઓ સમાજના આગેવાનો હોદ્દેદારો અને પ્રતિનિધિઓની સમાજ પ્રત્યેની લાગણી અને ભાવનાનો પુરાવો છે.
જે સમાજના નાગરિકો સમાજ પ્રત્યે ભાવનાત્મક, લાગણીશીલ અને જવાબદાર ન હોય, સમાજના સંગઠન અને વિકાસમાં સહયોગ ના આપતા હોય, નવું નવું વિચારવાની અને કરવાની તમન્નાઓ ન હોય અને આવનારી પેઢી ના ભવિષ્ય ની ચિંતા ન હોય તો તે નાગરિકો ફક્ત અને ફક્ત સમાજના આગેવાનો, હોદ્દેદારો અને પ્રતિનિધિઓ નું અનુકરણ કરી રહ્યા છે.સમાજના નાગરિકોમોં સામાજિક ભાવના અને લાગણી પેદા કરવા, પારિવારિક નેતૃત્વ દાખવવા અને કુટુંબમાં આગેવાની કરવા ની કાબેલિયત પેદા કરવા આગેવાનો, હોદ્દેદારો અને પ્રતિનિધિઓએ નમુનારૂપ બનવું જરૂરી છે....✍✍
Social Plugin