સફળ અને નમૂનારૂપ આગેવાન એટલે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લ્મ........
આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લ્મે પોતાના બે સહાબીઓને પડોશી દેશમાં મોકલ્યા જ્યાં એવા ટેન્કની શોધ કરવામાં આવી હતી,જેના દ્વારા કિલ્લાઓ તોડવામાં આવતા હતા તેનાં માટે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લ્મે પોતાના બે સહાબીઓને મોકલ્યા.આનાથી એવું જાણવા મળ્યું કે, આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લ્મે ઇલ્મ પ્રાપ્તિ માટે હોસલો પૂરો પાડ્યો છે અને પ્રોત્સાહન પણ પુરૂ પાડ્યું છે. અને તેની પ્રાપ્તિ માટે ઊભાળ્યા પણ છે.
માટે એવું કહી શકાય કે જે કોમ અને સમાજ ઇલ્મમાં રચ્યા પચ્યા રહે છે તેઓ આ મેદાનમાં આગળ વધતાં રહે છે, ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે, તેજ કોમ અને સમાજના હાથમાં નેતૃવ્તાં આવે છે, અને દુનિયાના લોકો ઘેટાં બકરાના ટોળાંની જેમ પાછળ પાછળ ચાલતા આવે છે. આ આપણાં માટે દુખની વાત છે કે પાછલા કેટલાય વર્ષોથી અને ખાસ કરીને ઇ.સ. ૧૯૪૭ પછી મુસલમાનોમાં એજ્યુકેશનનો ગ્રાફ નીચે આવ્યો છે અને સરકારી હોદ્દાઓ પર પણ ગ્રાફ નીચે ઊતરતો ગયો છે. જેના કારણે ઉચ્ચ હોદ્દાઓ પર અને સરકારી નોકરીઓમાં મુસલમાનોની ટકાવારી ઘટતી ગઈ છે. અને તેનાં ખતરનાક પરિણામો કોમ ભોગવી રહી છે. કોઈ પણ દેશમાં પાવરમાં આવવા માટે તે દેશના ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન થવાની કાબેલિયત પેદા કરવી પડે.
કુરઆનમાં છે કે, *વ અમ્મા મા યન ફઉન્નાસ ફયમ કુસુ ફિલ અર્દ,* જે વસ્તુ કે પ્રજાતિ લોકોના કે સૃષ્ટિના ફાયદા માટે હોય છે તેણે જમીન પર રહેવાનો અખત્યાર છે. માટે આ દેશમાં પોતાનું ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છીએ છીએ,પોતાનાં બાળકોનું ભવિષ્ય સારું હોય એવું ઈચ્છીએ છે, એવું પણ ઈચ્છીએ છે કે અહી ઇજ્જતની સાથે રહીએ, છાતી બહોળી કરીને ચાલીએ, આંખોમાં આંખો નાખી ચાલીએ, અને આવનાર લોકો માટે કોઈ એવું ન કહી જાય કે, મુસલમાનો! તમારા માટે આ દેશમાં કોઈ જગ્યા નથી, અને જો આપણે એવું ઈચ્છીએ છે કે,આ દેશમાં આવું મકામ પ્રાપ્ત કરીએ તો દીની અને દુન્યવી તાલીમનાં મેદાનમાં ખૂબ મહેનત કરવી પડશે.
મુસલમાન નવયુવાનોનો હાલ એ છે કે મેહનત કરવાનાં સમયગાળામાં મેહનત કરવાથી આંખ આડા કાન કરે છે.અને બીજી બાજુ ઉચ્ચ નોકરીના સપનાઓ પણ જોવે છે. અને એવીજ રીતે ગવરમેંટમાં પણ જઈએ,અને ક્યારેક એવા વિચારોમાં ગુમ હોય છે કે મુસલમાનો સાથે ભેદભાવ કરવામાં આવે છે, જેના કારણે મેહનતના મેદાનમાં પાછળ રહે છે. માટે એ વાત ધ્યાન પર રાખવી જોઈએ કે, જો તમે મેહનત કરો તો દુનિયાની કોઈ તાકાત રોકવાની નથી.
Social Plugin