🎯 સોશિયલ મીડિયા: જાણકારી મેળવવાનું સાધન કે ભ્રમ ફેલાવવાનું માધ્યમ?
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા એક શક્તિશાળી માધ્યમ બની ગયું છે. ફેસબુક, વોટ્સએપ, અને અન્ય પ્લેટફોર્મ લોકોના વિચારોને આકાર આપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ ચિંતાજનક વાત એ છે કે ઘણા રાજકીય અને ધાર્મિક જૂથો લોકોમાં નફરત ફેલાવવા માટે ખાસ IT સેલ ચલાવે છે. આ સંગઠનો ભાડે માણસો રાખી એડિટ કરેલા વિડીયો, અર્ધસત્ય મેસેજ અને તિરાડ ઊભી કરતા કન્ટેન્ટ વાયરલ કરે છે. લોકો તેમાંથી સત્ય અને ભ્રમ વચ્ચેનો ભેદ પણ ભૂલવા લાગ્યા છે. ફેસબુક, વોટ્સએપ, યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ માત્ર મનોરંજન અને જાણકારી માટે નથી રહ્યા, પરંતુ અમુક લોકો માટે નફરત ફેલાવવા અને ભોળા લોકોને દિશાભ્રષ્ટ કરવા માટે એક સાધન બની ગયા છે. મજા માટે તેનો ઉપયોગ સામાન્ય છે, પણ શું અમે વિચાર્યું છે કે
▪️આનું અમારું ભવિષ્ય પર શું પ્રભાવ પડી રહ્યો છે?
▪️શું આ માધ્યમનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે?
▪️શું આ સમય સકારાત્મક રીતે વપરાય છે?
🔴 ચિંતાજનક મુદ્દાઓ:
📌 ભડકાઉ કન્ટેન્ટ દ્વારા ધન કમાવવાનો ધંધો – આજકાલ ઘણા અધકચરા જ્ઞાનવાળા પત્રકારો અને કન્ટેન્ટ ક્રિયેટરો સોશિયલ મીડિયા પર પોતાના ન્યૂઝ ચેનલ, પેજ અને યૂટ્યુબ ચેનલ શરૂ કરે છે. તેઓ મસાલેદાર અને વિવાદાસ્પદ સમાચારો તૈયાર કરી લોકોને ગેરમાર્ગે દોરે છે. તેમનો મુખ્ય હેતુ સબ્સક્રાઈબર અને ફોલોઅર્સ વધારવો અને તેના થકી પૈસા કમાવવાનો હોય છે, ન કે સત્યના પ્રસાર કરવાનો.
📌 IT સેલ અને રાજકીય-ધાર્મિક જૂથો દ્વારા પ્રચાર – ઘણા રાજકીય અને ધાર્મિક જૂથો પોતાના IT સેલ ચલાવીને એડિટ કરેલા અને અડધા-સાચા વિડીયો બનાવે છે. આ પ્રકારના કન્ટેન્ટનો હેતુ માત્ર નફરત ફેલાવવાનો અને સામાજિક તણાવ ઊભો કરવાનો હોય છે.
📌 એડિટ કરેલા વિડીયો અને ફેક્ડ ન્યૂઝ – આજકાલ સોશ્યલ મીડિયા પર જુઠાં સમાચાર અને એડિટ કરેલા વિડીયો ઝડપથી વાયરલ થાય છે. તેનાથી લોકો એકબીજા સામે ઉશ્કેરાય છે અને હકીકત જાણી શકતા નથી.
📌 અંધવિશ્વાસ અને ગેરસમજનો પ્રસાર – અમુક લોકો આવા જૂઠા સમાચાર પર અનાયાસે વિશ્વાસ કરે છે અને વિડીયો, મેસેજ અને પોસ્ટ્સ આગળ ફોરવર્ડ કરતા રહે છે. આ લોકો જાણી-જોઈને અથવા અજાણ્યે એવા લોકોને ફાયદો પહોંચાડે છે જે ભ્રમ ફેલાવવા માંગે છે.
📌 બિનઉપયોગી પોસ્ટ્સ – મોટાભાગે અલ્પવિકસીત અને પછાત સમાજના લોકો પોતાના પ્રોફાઈલ અને ગ્રુપમાં સેલ્ફી, પાર્ટી -દાવત - લગ્ન,પ્રવાસના ફોટા, જન્મદિન, શુભેચ્છા- અભિનંદન ના મેસેજ, રાજકીય અને ધાર્મિક વિવાદોથી ભરેલા મેસેજ પોસ્ટ કરે છે. આમાંથી ઘણું બધું મનોરંજન માટે હોય છે, પણ અમુક સામગ્રી લોકોમાં નફરત, અંધભક્તી, ગુમરાહી અને વિભાજન ઊભું કરે છે.
📌 સમાજ માટે આર્થિક અને શૈક્ષણિક નુકસાન – જ્યારે વિકસીત અને શિક્ષિત સમાજના લોકો ટેકનોલોજી, અર્થતંત્ર, વ્યવસાય અને શિક્ષણમાં આગળ વધી રહ્યા છે, ત્યારે અમુક લોકો માત્ર આવા બકવાસમાં સમય વેડફી રહ્યા છે.
🔴 શું કરી શકાય?:
✅ ઉપયોગી માહિતી શેર કરો – નોકરી, બિઝનેસ, શિક્ષણ, ટેકનોલોજી અને આરોગ્ય સંબંધિત જાણકારી વહેંચો.
✅ સાચા ગ્રુપમાં જોડાઓ – માત્ર મનોરંજન નહીં, પણ જ્યાં હકારાત્મક જ્ઞાન મળે, પોતાનું જ્ઞાન અને કૌશલ્યમો વધારો થાય એવા ગ્રુપ પસંદ કરો.
✅ કોઈપણ મેસેજ અથવા વિડીયો ફોરવર્ડ કરતા પહેલાં તેની સત્યતા ચકાસો – અફવાઓ અને પ્રોપેગાંડા શિકાર ન બનો. હંમેશા સત્તાવાર સ્ત્રોતો પાસેથી માહિતી તપાસો.
✅ ભડકાઉ અને જુઠા સમાચાર ફેલાવનારા પેજ અને ચેનલથી દૂર રહો – આવા ક્રિયેટરો અને ન્યૂઝ ચેનલના સબ્સક્રાઈબર અને ફોલોઅર્સ ન બનો, જે ફક્ત પૈસા કમાવવા અને નફરત ફેલાવવા માટે કામ કરે છે.
✅ સકારાત્મક કન્ટેન્ટ શેર કરો – શિક્ષણ, વ્યવસાય, ટેકનોલોજી, નોકરી અને આરોગ્ય જેવી માહિતી ફેલાવો.
✅ વિચારશીલ બનો – કોન્ટેન્ટના પાછળની હકીકત અને તેના અસરોને સમજવી જરૂરી છે. જે મેસેજ ફેલાવો છો તેનાથી સમાજ પર શું અસર થશે, એ વિચારવું જરૂરી છે.
✅ વિખવાદજનક ગ્રુપમાંથી દૂર રહો – જે ગ્રુપ નફરત ફેલાવે છે, જે ગ્રુપ ફક્ત રાજકીય અને ધાર્મિક વિવાદો માટે છે, તેમાંથી બહાર નીકળવું અને દૂર રેહવુ.
✅ વિકાસ પર ધ્યાન આપો – રાજકીય અને ધાર્મિક ઝઘડાઓમાં સમય વેડફવા કરતા, પોતાનું ભવિષ્ય સુદૃઢ બનાવો. બિનઉપયોગી ચર્ચાઓ અને વિવાદોમાં જોડાવાની જગ્યાએ પોતાનું ભવિષ્ય બનાવવા અને કૌશલ્ય વિકસાવવા પ્રયાસ કરો.
🔴 સારાંશ:
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા માત્ર મનોરંજન માટે નહીં, પણ માહિતી અને વિચારોના પ્રસાર માટે મોટું પ્લેટફોર્મ બની ગયું છે. પરંતુ, ચિંતાની બાબત એ છે કે કેટલાંક રાજકીય અને ધાર્મિક જૂથો, તેમજ કેટલાક સ્વપ્રસિદ્ધ પત્રકારો અને કન્ટેન્ટ ક્રિયેટરો, નફરત ફેલાવી પોતાના ફાયદા માટે તેનો દુરુપયોગ કરી રહ્યા છે. એડિટ કરેલા વિડીયો, અડધા-સાચા સમાચારો અને મસાલેદાર કન્ટેન્ટ દ્વારા સામાન્ય લોકોમાં ભ્રમ પેદા કરી, તેમની વિચાસધારા પર અસર કરવાનો પ્રયાસ થાય છે.
આ લેખનો હેતુ લોકોમાં જાગૃતિ લાવવા માટે છે કે સોશિયલ મીડિયા પર જોઈ અને શેર થઈ રહેલી માહિતીની હકીકત ચકાસવી કેટલી જરૂરી છે. ભોળા લોકો અનાયાસે નફરતભર્યા અને જુઠાં સમાચાર ફેલાવતા જૂથોનો હિસ્સો બની જાય છે, જે સમાજ માટે ખતરનાક સાબિત થાય છે. આવું ન થાય, અને આપણે સાચા અર્થમાં શિક્ષિત અને જાગૃત નાગરિક બનીએ, એ માટે સાવચેતી જરૂરી છે.
0 Comments
Coments