"ધાર્મિક રોશની ફેલાવતા મુદરીસ, ઈમામ અને મોઇજ્જીન માટે ન્યાયસંગત પગાર જરૂરી– પડકારો અને ઉકેલો...
મુસ્લિમ સમાજના નૈતિક અને ધાર્મિક વિકાસ માટે મુદરીસ (મદરસાના શિક્ષકો), મસ્જિદના ઈમામ(નમાઝ અદા કરાવનારા) અને મોઇજ્જીન (અઝાન આપનાર) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ ધાર્મિક શિક્ષણ, નૈતિક માર્ગદર્શન અને સામાજિક સુખ-શાંતિ માટે અનિવાર્ય છે. આ લોકો તદ્દન નિષ્ઠા અને સમર્પણથી સમાજને સેવાઓ પૂરી પાડે છે. તેમ છતાં, મુદરીસ, ઈમામ અને મોઇજ્જીન માટે યોગ્ય પગાર અને આર્થિક સુખાકારીની સ્થિતિ આજે ગંભીર મુદ્દો બની ગઈ છે.
દરેક મસ્જિદમાં ઈમામ અને મોઇજ્જીનની નિમણુક થયેલી હોય છે, જે દરરોજ પાંચ વખતની નમાઝ પઢાવે છે, લોકોથી દુઆઓ કરાવે છે અને મુદરીસ મદરસાઓમાં બાળકોને ધર્મશિક્ષણ આપે છે. આટલી મહત્ત્વની સેવાઓ માટે પણ તેમને મળતો પગાર ઘણી જગ્યાએ જરૂરીયાત કરતાં ખૂબ ઓછો છે. તેમનાં પરિવારની આવશ્યકતાઓ માટે પૂરતો નથી. આવી પરિસ્થિતિમાં આલિમો અને ઈમામો માટે ન્યાયસંગત પગારની માંગ ઉઠી છે.
આજના સમયમાં ઘણા આલિમો, ઇમામ અને મોઈજ્જીન તેમના ન્યાયસંગત પગાર માટે પોતાની ફરિયાદો સોશિયલ મીડીયા અથવા અન્ય માધ્યમો દ્વારા પોતાની રજૂ કરે છે. પોતાની આર્થિક પરિસ્થિતિ વિશે ફરિયાદો સોશિયલ મીડિયા પર શેર કરે છે. આલિમો માટે ન્યાયસંગત પગારની માગણી યોગ્ય છે, તેમનો હક અને અધીકાર છે પરંતુ તેમની રજૂઆત મજબૂત અને વ્યવસ્થિત હોવી જરૂરી છે. પરંતુ આ રીતે કરાયેલી રજૂઆતના કેટલાક નકારાત્મક પ્રભાવ જોવા મળે છે.
આ લેખમાં
- આ રીતથી થતી ફરિયાદોનો લોકોમાં નકારાત્મક પ્રભાવ...
- આલિમોએ પોતાની આ પરિસ્થિતિ સુધારવા માટે શું કરવું જોઈએ?....
- લોકો અને જીમ્મેદારોએ શું કરવું જોઈએ?
તેના પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
1️⃣ ફરિયાદોનો લોકોમાં નકારાત્મક પ્રભાવ:
🔴 પ્રતિષ્ઠા ઉપર આંચકો:
📌 આલિમો દ્વારા સોશિયલ મીડિયા પર પોતાના પગારની ફરિયાદ કરવાથી લોકોમાં આલિમોની પ્રતિષ્ઠા ઓછી થાય છે. સમાજ તેમને 'સેવાના બદલે ફક્ત પૈસા માગવાવાળા' તરીકે જોવાનું શરૂ કરે છે, જે તેમના કાર્યના મહત્વને ઘટાડે છે. તે તેમની સામાજિક પ્રતિષ્ઠાને અસર કરે છે.
📌 લોકો તેમને નૉકરી તરીકે નહીં પણ ફક્ત એક સેવા માની લે છે, જેનાથી તેમના યોગદાનનું મૂલ્ય ઘટી જાય છે.
📌 ઓછા પગાર ધોરણના કારણે ઘણા લાયકાત ધરાવતા આલિમો બીજા વ્યવસાયમાં પ્રવેશવા મજબૂર થાય છે, જે મુસ્લિમ સમાજ માટે હાનિકારક છે.
📌 આલિમોની આર્થિક સમસ્યાઓ જાહેર થવાથી સમાજમાં આલિમોની પ્રતિષ્ઠા અને ઈજ્જત ને નુકસાન થાય છે. સમાજમાં તેમનો આદર ઓછો થઈ શકે છે.
📌 મુદરીસ, ઈમામ અને મોઇજ્જીન માટે ન્યાયસંગત પગાર ન હોવાને કારણે લોકો મદરસાના મિશન અને ધાર્મિક શિક્ષણ પ્રત્યે વિશ્વાસ ગુમાવે છે.
🔴 ધાર્મિક શિક્ષણ પ્રત્યેનું આકર્ષણ ઓછું થાય છે:
📌 આ પ્રકારના મેસેજથી જ્યારે નવી પેઢી અને યુવાનો જુએ કે આલિમો અને ઈમામોને તેમની મહેનત માટે યોગ્ય આર્થિક વળતર મળતું નથી, ત્યારે નવી પેઢી માટે આલિમ બનવાની પ્રેરણા ઘટી જાય છે.
📌 ધર્મશિક્ષણ મેળવ્યા પછી આર્થિક રીતે આકર્ષક વિકલ્પો ઉપલબ્ધ ન હોય અને આલિમોની આર્થિક પરિસ્થિતિ જોતાં યુવાનો આ ક્ષેત્રમાં આવવા માટે પ્રોત્સાહિત થતાં નથી. અને યુવાનો આલિમ અને ઈમામ બનવામાં રસ લેતા નથી. લાંબા ગાળે મદરસાઓ માટે ક્વાલિફાઇડ આલિમો મેળવવા મુશ્કેલ બની શકે છે.
📌 લાંબા ગાળે, ધાર્મિક શિક્ષણ અને માર્ગદર્શનની કમી થશે, જે મુસ્લિમ સમાજ માટે ઘાતક સાબિત થઈ શકે.
🔴 લોકો દાન કે યોગદાન આપવા તૈયાર રહેતા નથી:
📌 જો મદરસા અને મસ્જીદના સંચાલકો પર નબળા સંચાલનની છબી જાય છે, તો લોકો દાન આપવા પ્રોત્સાહિત થતા નથી. આથી લોકો દાન કે યોગદાન આપવાથી દૂર રહે છે.
📌 મુદરીસ, ઈમામ અને મોઇજ્જીનની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાનું લોકોમાં નકારાત્મક છબી ઉભી કરે છે, અને નકારાત્મક પ્રતિભાવો મળી શકે છે, જેનાથી મસ્જીદ અને મદરસાઓ માટે ફંડ એકઠું કરવું મુશ્કેલ બને છે.
📌 જો દાતાઓ અને ધનિક લોકોને લાગે કે મસ્જિદ અને મદરસાઓના દાનના પૈસા યોગ્ય રીતે વપરાતા નથી, સંચાલનમાં પારદર્શકતા નથી, તો તેઓ ફંડ આપવા પાછળ હિચકાય છે.
📌 જ્યારે મસ્જિદ અને મદરસાના સંચાલકો ફંડ મેળવવામાં નિષ્ફળ જાય, ત્યારે શિક્ષકો અને ઈમામોના પગારમાં વધારો કરવો મુશ્કેલ બને છે.
📌 જો લોકો એવું માનતા હોય કે મદ્રેસા અને મસ્જિદ ની ખિદમત કરવી ઈબાદત છે અને આ માટે આલિમોને વધુ પગારની જરૂર નથી, તો ફંડિંગ ઘટી શકે છે.
📌 ફ્રસ્ટ્રેટેડ મેસેજ લોકોમાં નકારાત્મક માનસિકતા ઉભી કરે છે.
2️⃣ આલીમોએ, મસ્જિદ અને મદરસાઓના સંચાલકોએ શું પગલાં લેવા જોઈએ?
🔴 એકતાનું મજબૂત મંચ બનાવવું:
📍મદરસાના મુદરીસ , ઈમામો અને મોઇજ્જીન માટે એક મજબૂત સંગઠન (યૂનિયન) બનાવી મંચ તૈયાર કરવુ જોઈએ, જ્યાં તેમના હકો અને અધિકારો માટે અવાજ ઉઠાવી શકાય.
📍એક સંસ્થાગત માળખું કે મંચ બનાવવું, જે મદરસાઓ/મસ્જિદોના સંચાલકો, ધનિક દાતાઓ અને મુદરીસ/ઈમામ/મોઇજ્જીન વચ્ચે નીતિગત યોગ્ય સંવાદ સાધે.
📍આલિમો પોતાની વચ્ચે મજબૂત સંગઠન બનાવવામાં નિષ્ફળ રહયા છે, જેનાથી તેઓ કોઈ પણ નીતિ પરિવર્તન માટે એકસાથે અવાજ ઉઠાવી શકતા નથી.
📍આલિમો પોતાની વચ્ચે એકતાની કમીના કારણે એક મજબૂત સંગઠન તૈયાર કરવાનું પ્રાથમિક મહત્વ નથી આપતા.
📍જો આલિમો એક થઈને નક્કર માગણીઓ કરે , તો મસ્જિદ અને મદરસાના સંચાલકો તેમના હિત માટે વધુ જવાબદાર બની શકે અને મદરસા/મસ્જિદ સંચાલન સુધરી શકે છે.
📍વિવિધ મદરસા અને મસ્જિદ એકબીજા સાથે જોડાય અને સંયુક્ત અભિપ્રાય સાથે પગાર, કામકાજ અને ફંડ અંગે ચર્ચા કરે.
📍આલિમોએ પોતાની વચ્ચે એક્તા, સહયોગ અને સમર્પણ વધારવું જોઈએ અને તાલમેલ રાખીને કામ કરવું જેથી સમાજમાં તેમની છબી વધુ મજબૂત બને.
📍દરેક આલિમ પોતાની પ્રતિષ્ઠા કેળવી રાખે અને ઓછા પગારમાં કામ કરવાની દરખાસ્ત ન કરે.
🔴 મદ્રેસા/મસ્જિદની સેવાને સન્માનિત બનાવવી અને સેવાનું મહત્વ પ્રદર્શિત કરવું:
📍મુસ્લિમ સમાજમાં આલિમોની ભૂમિકા, મહેનત અને સેવા કેવી રીતે સમાજ માટે અગત્યની છે, તે વિષય પર જાગૃતિ ફેલાવવી. તે માટે શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમો યોજવા.
📍આલીમો અને ઈમામો ફક્ત નમાઝ પઢાવવાનું કામ કરતા નથી, પણ સમાજના આધ્યાત્મિક અને નૈતિક વિકાસ માટે મહેનત કરે છે એવું લોકોને સમજાવવું.
📍તેમની મહેનત અને ત્યાગનું સમાજમાં મૂલ્ય વધારવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવી.
📍 તેમને વિશેષ સન્માન અને ઇનામ અપાવા માટે સમારંભો આયોજિત કરવા જોઈએ.
📍સમૃદ્ધ અને ધનિક લોકોમાં ફંડ દાન કરવાની હૂંફ/ફાયદા ઉમેરી, તેમનો આલિમો માટે સહકાર લેવો.
🔴 અધિકાર અને વ્યવસાયિક વર્તન અપનાવવું:
📍આલિમોએ અને ઈમામોએ માત્ર ધર્મગુરુ તરીકે નહીં, પણ એક વ્યાવસાયિક શિક્ષક અને માર્ગદર્શક તરીકે પોતાની ઈમેજ ઊભી કરવી.
📍મદરસાના શિક્ષકો, ઈમામ અને મોઇજ્જીન માટે પણ પ્રોફેશનલ એથિક્સ અને શિસ્તબદ્ધતા લાવવી... જેથી જેમ ડોક્ટર, એન્જિનિયર અને વકીલ પોતાનું કામ પર નિશ્ચિત ફી લે છે, તેમ મુદરીસો, ઈમામો અને મોઇજ્જીન પણ નક્કી કરેલી આવક મેળવી શકે.
📍આલીમોએ પોતાનું કાર્ય ફક્ત ઈબાદત નહીં, પણ એક વ્યવસાયિક સેવા તરીકે પણ જોઈ શકે તેવું વાતાવરણ ઊભું કરવું.
📍મસ્જિદ અને મદરસાઓના સંચાલન માટે પણ વ્યવસાયિક પદ્ધતિઓનો અમલ કરવો.
🔴 ચોક્કસ ફી માટે નીતિ બનાવવી:
🔹 મસ્જિદના નિભાવ ખર્ચ માટે તેની આસપાસ રહેતા પરિવાર કે લોકો માટે નિશ્ચિત ફી માળખું ઘડવું, જેથી દાન અને ફંડ પર સંપૂર્ણ નિર્ભરતા ન રહે.
🔹 મદરસાઓના શિક્ષણ માટે ચોક્કસ ફી નક્કી કરવી, જેથી આર્થિક રીતે મજબૂત પરિવારો ફી ચૂકવે અને ગરીબ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ અથવા દાતા વ્યવસ્થા થાય.
🔹 લાયકાત અને ક્ષમતા અનુસાર સ્કોલરશિપ માટેના માપદંડ નક્કી કરવામાં આવે.
🔹આલીમો અને ઈમામો માટે ન્યાયસંગત પગાર નક્કી કરવા માટે નિયમબદ્ધ મિકેનિઝમ લાવવું.
🔹મદરસામાં એડમીશન અને શિક્ષણ માટે સ્ટાન્ડર્ડ નિયમો અને માર્ગદર્શન નક્કી કરવું, જેથી શિક્ષકોને યોગ્ય વેતન આપી શકાય.
🔴 મસ્જિદ અને મદરસામાં લાયકાત આધારિત ભરતી પ્રણાલી લાવવી:
◾ફક્ત ધાર્મિક જ્ઞાન પૂરતું નથી, અરબી બોલતા, લખતા અને વાંચતા શીખવાડી શકે તેવી ક્ષમતા ધરાવતા આલિમોની પસંદગી કરી ભરતી કરવી.
◾બાળકોની માનસિકતા અને શીખવાની ક્ષમતા ઓળખી શકે તેવી લાયકાત ધરાવતા આલિમોની પસંદગી કરી ભરતી કરવી.
◾મૌખિક અને લેખિત પરીક્ષા દ્વારા ઉમેદવારોની લાયકાતની ચકાસણી કરવી.
◾આલિમો અને ઈમામોને પણ આધુનિક શિક્ષણ પદ્ધતિઓ અને ટેક્નોલોજીકલ તાલીમ શીખવવા માટે તાલીમ આપવી અને સુવિધા પુરી પાડવી.
🔴 મદરસાનું શિક્ષણ વધુ વ્યાપક, આધુનિક અને સમયને અનુકૂળ બનાવવું:
◾મદરસાઓ ફક્ત ઇસ્લામિક શિક્ષણ સુધી મર્યાદિત નહીં રહે, પણ આજના યુગને અનુરૂપ અભ્યાસક્રમ અપનાવી, આધુનિક શિક્ષણ (ગણિત, વિજ્ઞાન, ભાષા) પણ શીખવાડે જેનાથી વિદ્યાર્થીઓનો વ્યાપ વધે.
◾ ફક્ત અરબી વાંચન અને રટન શીખવાડવાને બદલે તથા કુરાન વાંચતા અને તજવીદ ની સાથે, અરબી વ્યાકરણ, અરબી બોલતા, લખતા અને સાંભળીને સમજતા પણ શીખવાડવું.
◾અંગ્રેજી, ટેક્નોલોજી અને અન્ય જીવન ઉપયોગી વિષયો અને સ્કીલસ શીખવવા પર ભાર આપવો જેથી મદરસા વધુ અસરકારક બની શકે.
◾વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન અને જીવનની જરૂરી સ્કિલ્સ શીખવવી.
◾મદરસાઓમાં ટેક્નોલોજીનો ઉપયોગ વધારવો (ઓનલાઈન લર્નિંગ, પ્રોજેક્ટર, કોમ્પ્યુટર લેબ વગેરે).
◾ઇસ્લામિક વિષયોના અભ્યાસક્રમમાં આધુનિક વિચારો અને વૈજ્ઞાનિક અભિગમ ઉમેરવો.
🔴 મુદરીસ આલીમો, મસ્જિદના ઈમામ, અને મોઇજ્જીન માટે પગાર નક્કી કરવો:
◾દરેક મદરસાના મુદરિસ અને મસ્જિદના ઈમામ માટે એક સમાન પગાર માળખું ઘડવું.
◾મદરસાના શિક્ષકો અને મસ્જિદના ઈમામો માટે આર્થિક ભથ્થાં જેવી યોજના બનાવવી.
◾સામાજિક સ્તરે ઇમામો અને આલિમો માટે કાયદાકીય સુરક્ષા અને તકો ઉપલબ્ધ કરવી.
🔴 મસ્જિદ અને મદરસાના સંચાલનમાં ફંડ માટે પારદર્શક નીતિ બનાવવી:
🔶 ફંડ એકત્રિત કરવા માટે એક ટ્રાન્સપરન્ટ અને વ્યવસ્થિત માળખું ઊભું કરવું.
🔶 ફંડ અને દાનની વ્યવસ્થા સંપૂર્ણ પારદર્શક હોવી જોઈએ, જેથી દાતા વિશ્વાસપૂર્વક દાન કરી શકે.
🔶 દરેક મસ્જિદ અને મદરસાએ દર માસિક કે વાર્ષિક એક નાણાકીય અહેવાલ તૈયાર કરવો જોઈએ, જે દરેક દાતાને અને સંચાલકોને દેખાડવામાં આવે અને લોકો સમક્ષ રજૂ કરે.
🔶 ઓનલાઈન ફંડિંગ પદ્ધતિઓ શરૂ કરી શકાય, જેથી દાતા વિશ્વાસપૂર્વક સહાય કરી શકે.
🔴 પ્રતિષ્ઠા અને વિશ્વાસ વધારવા માટે કાયદાકીય સંરચના:
🔷 મદરસાના સંચાલનમાં યોગ્ય કાયદાકીય માળખું બનાવવું, જેથી કાયમી સ્થિરતા રહે.
🔷 મદરસાઓની માન્યતા અને પ્રમાણપત્રો માટે સરકાર અથવા માન્ય શાખાઓ સાથે સંવાદ સાધવો.
🔷 મસ્જિદના ઈમામો અને મદરસાના આલિમો માટે સામાજિક માન્યતા વધારવા માટે વધુ લોકપ્રિય અભિગમ અપનાવવો.
🔴 નકારાત્મક મેસેજ ન ફેલાવો:
◾આજના યુગમાં આલિમોની નબળી આર્થિક સ્થિતિને ઉઠાવતી ઘણી પોસ્ટ્સ લોકો સુધી પહોંચે છે.
◾આવી પોસ્ટ્સ સમાજમાં આલિમોની છબીને નબળી બનાવે છે, અને લોકોના મનમાં આલિમો માટે અપમાનજનક વિચારધારા ઉભી થાય છે.
◾આ ઉકેલ માટે મજબૂત માળખું ઘડવું જરૂરી છે, ફક્ત સોશિયલ મીડિયા પર ફરિયાદ કરવાથી કંઈ લાભ થતો નથી.
◾ સોશિયલ મીડિયા પર સમસ્યાઓ શેર કરવા કરતાં વ્યવસ્થિત ઉકેલની વાતો આગળ મૂકીશું તો સમાજમાં વધુ સકારાત્મક પ્રતિભાવ મળશે.
◾ મેસેજમાં નારાજગીને બદલે ઉકેલના માર્ગ બતાવવો.
3️⃣ લોકોએ, જિમ્મેદારોએ અને લીડરોએ શું પગલાં લેવા જોઈએ?
🔴 મુદરિસ, મોઇજ્જીન અને ઇમામોની પીડા સમજૂતીથી સાંભળવી:
📌 આલિમો અને ઈમામોની મુશ્કેલીઓ સમજવા માટે સમાજના આગેવાનો અને દાતાઓ સજાગ રહે.
📌 તેમને માત્ર ધાર્મિક નેતા તરીકે નહીં, પણ સમાજના એક અગત્યના ભાગરૂપે જોવાં જોઈએ.
📌 તેમના પરિવારની જરૂરિયાતો અને શિક્ષણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નીતિ ઘડવી.
🔴 આલિમો, ઈમામો અને મોઇજ્જીન માટે ન્યાયસંગત પગાર નક્કી કરવો:
📌 મસ્જિદ અને મદરસાના સંચાલકો, ધનિક અને બિઝનેસમેનોએ મળીને એક નક્કર પગાર માળખું ઘડવું જોઈએ.
📌 પગાર કે ફી માત્ર દાન અને ફંડ પર આધાર રાખીને ન હોય, પણ એક નક્કી કરેલી આવક વ્યવસ્થા બનાવવી જોઈએ.
📌 દરેક શહેર અને ગામના મસ્જિદ અને મદરસા સંચાલકો એકસાથે મળીને મહિના, વર્ષે કે દસકામાં પગારવધારાની સમીક્ષા કરે.
📌 આલીમો અને ઈમામો માટે મેડિકલ, ઘરભાડું અને બાળકોના શિક્ષણ માટે ભથ્થું કે અન્ય સહાયતા યોજનાઓ શરૂ કરી શકાય.
🔴 મસ્જિદ અને મદરસાના સંચાલન માટે દાતાઓ જોડવા:
📌 આર્થિક રીતે મજબૂત પરિવારના બાળકોના શિક્ષણના ખર્ચને પુરા કરવા દાતાઓને પ્રોત્સાહિત કરવું.
📌 દાતાઓ નબળા પરિવારોના બાળકો માટે ખર્ચ ઉઠાવે એવી યોજના લાવવી.
🔴 મસ્જિદ અને મદરસાના સંચાલનમાં પારદર્શકતા લાવવી:
◾ ફંડ અને દાનની વ્યવસ્થા સંપૂર્ણ પારદર્શક હોવી જોઈએ, જેથી દાતા વિશ્વાસપૂર્વક દાન કરી શકે.
◾ દરેક મસ્જિદ અને મદરસાએ દર મહિને કે 3 મહિને એક નાણાકીય અહેવાલ તૈયાર કરવો જોઈએ, જે દરેક દાતાને અને લોકોને દેખાડવામાં આવે.
🔴 જાગૃતિ અભિયાન ચલાવવું અને ધાર્મિક શિક્ષણની મહત્વતા સમજાવવી:
◾ સમાજમાં મદરસાના શિક્ષકો અને ઈમામોની મહેનતનું મૂલ્ય સમજાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવવું.
◾ લોકો ધર્મશિક્ષણના મહત્વને સમજતા થાય, તે માટે સામાજિક મંચ, ઉપદેશ, સોશિયલ મીડિયા અને ધર્મસભાઓમાં ચર્ચા કરવી.
◾ તેમની સમસ્યાઓના નિરાકરણ અને સન્માન માટે સ્થાનિક નેતાઓ અને સામાજિક આગેવાનોને પણ આમાં જોડવા.
◾ મદરસા શિક્ષણના વિકાસ માટે લોકોએ આગળ વધવું જોઈએ.
◾ વિદ્યાર્થીઓની સફળતાના કિસ્સાઓને હાઇલાઇટ કરીને લોકોને પ્રેરિત કરવું.
◾ ધર્મશિક્ષણ એ ફક્ત નમાઝ કે કુરાન સુધી મર્યાદિત નથી, પરંતુ તે નૈતિકતા, સમાનતા અને શિસ્ત શીખવે છે.
◾ સમગ્ર સમાજ આલીમો અને ઈમામોના મહત્વને સમજવા માટે પ્રેરિત કરવો જોઈએ.
🔴 વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ અને દત્તક શિક્ષણ યોજનાઓ બનાવવી:
◾ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ કે "દત્તક લેવાની યોજના" શરુ કરવી.
◾ જરૂરતમંદ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ યોજના શરૂ કરવી, જેથી વધુ લોકો આલિમ બનવા માટે આગળ આવે.
◾ ધનિક વ્યક્તિઓ કે બિઝનેસમેનોએ ધર્મશિક્ષણ માટે દત્તક શિક્ષણ યોજના લાવવી, જેનાથી પ્રગતિશીલ આલિમો તૈયાર થાય.
🔴 સારાંશ
મુદરીસ, ઈમામ અને મોઇજ્જીન સમાજ માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. મુદરીસ બાળકોને ધાર્મિક અને નૈતિક શિક્ષણ આપે છે, ઈમામ સમાજ માટે માર્ગદર્શન આપે છે અને મોઇજ્જીન નમાજ માટે અવાજ આપે છે. છતાં, આ ધર્મગુરૂઓનો સામાજિક અને આર્થિક સ્થિતિ બમણી ચિંતાજનક છે. ઓછા પગાર, અપ્રાપ્ત માન્યતા અને મફત સેવા આપવાની અપેક્ષાને કારણે, તેઓ આર્થિક સંઘર્ષમાં જીવન જીવી રહ્યા છે. આ સમસ્યા કાયમી ઉકેલ માટે, સમાજે તેમના મહત્ત્વને માન્યતા આપવી જોઈએ, ધર્મશિક્ષણ માટે ચોક્કસ નીતિ ઘડવી જોઈએ અને મદરસા સંચાલન માટે એક વ્યવસ્થિત પગાર માળખું ઊભું કરવું જોઈએ. જો આલિમો માનસિક અને આર્થિક રીતે મજબૂત હશે, તો તેઓ વધુ સમર્પિત રીતે સમાજ અને ધર્મની સેવા કરી શકશે.
0 Comments
Coments