કુરાન શરીફમાં ફરમાવ્યું કે "અને તેના માલમાં માંગનાર અને નિરાધાર (બિન સવાલી)નો ભાગ હતો" (સુરએ ઝારીયાત : 19)
"અને જેમના માલ માં થોડો ભાગ ભિખારી અને નિરાધારઓનો છે" સુરએ મઆરીજ : 24/25
માટે કુટુંબીજનોને તેમના હક્ક આપો તથા મોહતાજ અને મુસાફિરને પણ આપો આ તે લોકો માટે બહેતર છે જેઓ ખુદાતાલાના ચાહક છે અને તેઓ જ છુટકારો પામનાર છે (સુરએ રૂમ : 38)
અલ્લાહતાલાએ જ્યારે કોઈ માણસને તેના તરફથી માલ દોલત અતા કરી છે તો તેમનો તકાજો છે અને જવાબદારી છે કે જે તમને અતા કરવામાં આવી છે તેની જેને જેને જરૂર છે તેને અલ્લાહતાલા એ નક્કી કરેલા ભાગ પ્રમાણે તેને આપવામાં આવે
ઇસ્લામના આ હકનું વર્તુળ ફક્ત પોતાના એહલો અયાલ કે સગા સંબંધી પૂરતું મર્યાદિત નથી બલ્કે સામાન્ય વ્યક્તિથી જાનવરો સુધીનો હક હદીસ શરીફમાં વિગતવાર બતાવવામાં આવ્યો છે
ઇસ્લામના ઇતિહાસમાં બનેલી દરેક ઘટનાઓ માનવીના જાતિ જીવન કુટુંબીક જીવન અને સામાજિક જીવન ની જરૂરિયાતને મહત્ત્વ આપનારી છે
ઇસ્લામના ઇતિહાસમાં તબુક નો કિસ્સો સમાજની સામુહિક જરૂરિયાતને મહત્વ આપનાર ઘટના છે જે લોકો સમાજના સામૂહિક વિકાસમાં કે કાર્યોમાં ભાગ લેતા નથી તેનાથી અલ્લાહ અને તેના રસુલ કેટલા નારાજ છે તે દર્શાવે છે માટે ભાઈઓ અલ્લાહે આપણને જે માલ દોલત અતા કરી છે તેમાંથી કેટલોક ભાગ સમાજના લોકોની સામૂહિક જરૂરિયાતો પૂરી કરવા માટે ઉપયોગ કરીએ એ સૌથી મોટી સમજદારી છે કુરાનના હુકમનું પાલન છે અને નબી સાહેબ ની પેરવી છે....
Social Plugin