આર્ટીકલ

6/recent/ticker-posts

સાક્ષર નહીં..... શિક્ષિત બનો..




સાક્ષર નહીં..... શિક્ષિત બનો...✍✍✍✍

એજ્યુકેશનના વિષયમાં મોટાભાગના લોકો ગૂંચવણમાં છે મોટાભાગના લોકોએ એજ્યુકેશન નો અર્થ સાક્ષર કર્યો છે જ્યારે હકીકતમાં એજ્યુકેશન નો અર્થ શિક્ષિત છે સાક્ષર અને શિક્ષિત બંનેના અર્થ અલગ અલગ છે.

સાક્ષર થવું એટલે એટલું જ્ઞાન મેળવવું જેના વડે કોઈ પણ ભાષાને વાંચતા અને લખતા શીખવું. તેનો ભાવાર્થ સમજ પડે કે ન પડે પણ એ ભાષા લખતા અને વાંચતા આવડે એટલે તેને સાક્ષર કહેવાય.

શિક્ષિત એટલે એવું જ્ઞાન મેળવવું જે જ્ઞાન વડે જિંદગી માં ભજવવા પડતા દરેક પાત્ર ની ફરજો અને જવાબદારીઓ સમજી શકે અને જે સમયે, જે સ્થાને, જેટલી સામગ્રી સાથે છે ત્યાંથી પોતાના કુટુંબને, ગામને, સમાજને અને વિશેષ પોતાના દેશને વધુમાં વધુ નિસ્વાર્થ લાભ પહોંચાડે અને નુકસાનથી બચાવે.

જો આપણાથી આપણા કુટુંબને, ગામને, સમાજને અને દેશને નિસ્વાર્થ લાભ પહોંચાડ્યો હોય અને નુકસાન થી બચાવ્યો હોય અને આપણી ફરજો અને જવાબદારીઓ નિભાવી હોય તો ખરેખર આપણે  શિક્ષિત છીએ અને ઇસ્લામના અનુયાયી છીએ નહીંતર આપણે ફક્ત સાક્ષર જ છીએ.

દુનિયાનો દરેક ધર્મ પોતાના અનુયાયીઓને શિક્ષિત થવાનો આદેશ આપે છે. જે ધર્મના અનુયાયીઓ શિક્ષિત છે  તે દરેક લોકોના દિલમાં સ્થાન પામે છે અને જે ધર્મના અનુયાયીઓ ફક્ત સાક્ષર છે તે લોકોના નફરત નો શિકાર થાય છે. શિક્ષિત લોકો શાસક બને છે અને સાક્ષર લોકો ગુલામીનો શિકાર થાય છે.✍✍✍✍