“સમાજ“ એટલે એક પરિવાર, જેમાં એકબીજાના સુખ-દુ:ખનું ધ્યાન રાખવામાં આવે છે, પણ આજકાલ આ સમાજની વ્યાખ્યા જ કંઇક અલગ બની ગઈ છે. આજકાલનો સમાજ એટલે મુખોટો પેહરીને બેઠેલો એક પરિવાર. આજકાલ સમાજના લોકો એકબીજાના જ દુશ્મન છે પણ, પીઠ પાછળ.
એક સમાજ બનાવવામાં આવે એટલા માટે કે લોકો એકબીજાના સુખ-દુ:ખમાં ભાગીદાર બને પરંતુ આજકાલ આ જ સમાજ લોકોના દુ:ખનું કારણ બને છે, અને સુખ છીનવા માટે અલગ-અલગ પેંતરા અપનાવાનારું, એકબીજાને નીચું બતાવવા માટે કોઈ પણ મોકો ના છોડનાર એ આજના સમાજના લોકો.
સમયની સાથે પરિવર્તનને અપનાવનાર એ “સમાજ”. પરંતુ આજના સમાજને કોઈ પણ પરિવર્તન અપનાવવું જ નથી , માત્ર જુના રીતી-રીવાજોને પકડીને બેસવું છે. સમાજ માટે રીતી-રીવાજ એટલા મહત્વના હોઈ છે કે તેઓ એના માટે કંઈપણ કરી શકે છે… ,તેઓ ક્યારેય પણ આજના યુવાનોની માનસિકતાને સમજવાની કોશિશ સુધ્ધાં પણ કરતા નથી ને આખરે બનાવે છે આ સમાજને એવો ખોખલો જે ભૂતકાળ ને અનુસરે અને ભવિષ્યનું ગળું દબાવે .
સમાજ આજનો પરિવર્તનને અપનાવતું તો નથી જ પરંતુ પરિવર્તન લાવવાની કોશીશ કરનારને પણ કચડી નાખે છે. આ સમાજની માનસિકતા શા માટે , ક્યા કારણથી આવી છે? એમાં પરિવર્તન લાવવા માટે કેટલાક માણસ આગળ આવે તો સેંકડો-હજારો લોકો એને ખેંચીને નીચે લાવવા માટે તૈયાર જ હોઈ છે. શું આ સમાજ પરિવર્તનથી ડરે છે? કે એમ સમજે છે કે જીવનમાં પરિવર્તન જરૂરી જ નથી? કે પછી સમાજના આગેવાનોને પોતાના હોદ્દા અને પદ જૂટવાઈ જવાનો ડર છે? સમાજની શાસન વ્યવસ્થામાં સમાજના યુવાનોને ભૂતકાળને અનુસરવા માટે મજબુર કરવામાં આવે છે શા માટે? જો ભૂતકાળને અનુસરવું જરૂરી હતું તો મકાનો આધુનિક કેમ બનાવ્યા? ફર્નિચર આધુનિક કેમ વસાવ્યા? ખેતી આધુનિક પદ્ધતિથી કેમ કરી? મુસાફરી આધુનિક પદ્ધતિ કેમ કરો છો? બીમારીઓના ઈલાજ આધુનિક પદ્ધતિથી કેમ કરો છો?રાજકીય પાર્ટી અને રાજકીય નેતાઓની આધુનિક પદ્ધતિ કેમ સ્વીકારી? શા માટે સમાજના યુવાનોને સમાજની શાસન વ્યવસ્થા મોં મરજી અનુસારની ઉડાન ભરવા દેવામાં આવતી નથી? શા માટે પાંજરામાં કેદ કરેલા પંખીની માફક રાખવામાં આવે છે? શા માટે…?
સમાજમાં ઘણા એવા લોકો છે જે આ બાબતે જાગૃત છે પરંતુ એ એમની જાગૃતતાને સમાજ સામે નથી લાવી શકતા. એ એમની જાગૃતતાને દબાવી રાખે છે. નસીબે, જો એમની જાગૃતતાને સાધારણ જીવનમાં અપનાવે તો એના બદલામાં એમને ઘણું સહન કરવું પડે છે. આવા જાગૃત માણસોને દબાવીને આ સમાજ સાબિત શું કરવા માંગે છે? ....
Social Plugin