આર્ટીકલ

6/recent/ticker-posts

લોકો તમારાથી આટલા નારાજ કેમ છે?

   


લોકો તમારાથી આટલા નારાજ કેમ છે?

  જ્યારે આપણે બધી જ રીતે વ્યવસ્થિત કામકાજ કરતા હોઈએ ત્યારે પણ કેટલાક લોકોની નારાજગી આપણી સામે આવે છે. આપણા કામના સંદર્ભે આપણા વ્યવહાર ના સંદર્ભે. જીવન દરમિયાન ભલે ઘર હોય, સમાજજીવન હોય કે પછી આપણું કામનું સ્થળ. બધી જગ્યાએથી જો નારાજગી ઊભી થતી હોત તો પછી આપણે આપણી જાતમાં જોવું પડશે...


થોડાક લોકોને થોડા સમય માટે થોડાક સ્થળે, થતી નારાજગી સમજી શકાય છે. એ દરેકને વેઠવાની હોય છે. પરંતુ ઘણા લોકોની, લાંબા સમય સુધી, બધા સ્થળે થતી નારાજગી આપણા માટે લાલ સિગ્નલ છે. નક્કી આપણો વ્યવહાર કે કામ ભૂલ ભરેલું હોવું જોઈએ. આપણે પણ ભૂલ કરી શકીએ છીએ એટલો સ્વીકાર દિલમાં હોવો જોઈએ.


ઘણા માણસો આપણે આજુબાજુમાં જોઈએ છીએ તો નજરે ચડે છે. તેનાથી ઉપરના તેમની સાથેના અને તેમની નીચેના માંથી દીવો લઈને શોધવા જઈએ તો પણ પાંચ માણસ આપણને પસંદ કરતા નથી. તો તેમાં આપણો વાંક છે. સામેવાળાનો નહીં. આપણે એવા તો ક્યા ગુમાનમાં ફરીએ છીએ. કે આપણે જ સાચા! સામેવાળા જ ખોટા? દરેક વખતે ક્યાંક ક્યાંક હિસાબમાં ઉપર નીચે હોઈ શકે. આપણે આપણી ભૂલ સ્વીકારવા તૈયાર જ ના હોઇએ? જાણે કે આપણે દેવદૂત હોય. એવી રીતનો જે વ્યવહાર છે. તે આપણું માણસ સાથેનું કનેક્શન નબળું પાડે છે..


આજે તમને જે સ્થિતિ મળી છે, એ કાયમી નથી. હોદ્દાના કારણે પૈસાના કારણે અન્ય કારણોસર મળી છે. ટકાઉ નથી. જ્યારે તે નહિ રહે ત્યારે તમારી શી હાલત થશે? એ વિચાર ક્યારેય કર્યો છે? કેમ. તમને કોઈ ઇચ્છતું નથી? કાલે કોઈ માણસ તમારા નાના કામમાં પણ ઉભો રહેવાનો નથી. કેમકે તમારી કામગીરી ને ઘમંડ દ્વારા લોકોને પીડા ખતરનાક કક્ષાએ આપી હતી. તમે તમામને ખોટા સમજતા હતા. તમે તમારી ભૂલ કદી થાય જ નહીં એવા રાવણના રોલમાં હતા. તો હવે લોકો વગરની સ્થિતિમાં તમારું જીવન જીવવાનું શરૂ થશે. તમારી સાથે તમે પણ  હશો કે કેમ?


     કોઈકની મદદ અને સહકાર ક્યારેય આપણી સાથે કાયમી હોતા નથી. એના પાવરમાં આપણે બીજાને પીડા આપવાના છો? આપણે બચવાના નથી. મદદ ગમે ત્યારે બંધ થઈ શકે છે. તમારે તમારા સ્વભાવ અને કામથી જ તમારો બચાવ કરવાનો હોય છે. એ જો ના કરી શકાય તો કોઈ આપણા પક્ષે હોતું નથી. ગમે તેવો મજબૂત માણસ પણ એક સાથે બધી જગ્યાએ મોરચા ખોલીને યુદ્ધ કરતો નથી. બધી બાજુ બગાડતો નથી. પરંતુ જ્યારે મૂર્ખામી સર ઉપર ચડીને બોલતી હોય છે, ત્યારે માણસ આવી ભૂલ કરતો હોય છે, અને રાજા રાવણનો અંજામ પામતો હોય છે.


દયા ખાનાર પણ દયા ના ખાય એવી કરુણ સ્થિતિ ઊભી થતી હોય છે. જીવન દરમિયાન લોકો સાથે હકારાત્મક રીતે, લાગણી પૂર્વક સમજપૂર્વક તેમની સ્થિતિને પરિસ્થિતિનો અંદાજ કાઢી ને જો કામ કર્યું કે કરાવ્યું હશે. તો લોકો તમને ક્યારેય ભૂલશે નહીં અને એથી ઊલટું હોય ત્યારે પણ ભૂલવાના નથી. સમય આવે બદલો મળતો જ હોય છે. કેટલાક લોકો સામી છાતીએ ઘા કરશે અને કેટલાક લોકો બીજા પાસે કરાવશે.. ત્યારે આપણને ઓચિંતું લાગશે. તમને આ લડાઇ ક્યાંથી આવી એવું લાગશે. ત્યારે આપણે કરેલા મૂર્ખતાપૂર્ણ કર્યો અને બગડેલા સંબંધોનું પરિણામ હશે, એ સ્વીકારવું રહ્યું.


જીવન જીવતા,દરેક માણસ નાની મોટી ભૂલ કરે છે. ભૂલમાંથી શીખે છે સુધાર લાવે છે અને જીવન જીવે છે. પ્રયત્ન અને ભૂલ આપણા સાથે જોડાયેલ છે. સુધારવાની તમામ તકો જીવતા હોય ત્યાંસુધી જોડાયેલ છે. તે જોઈને જો આપણે આપણામાં જરૂરી સુધારા લાવીશું તો આપણે ઉપર  જણાવેલી ઘટનાને બાબતોથી બચી શકીશું. અને જો ના કરી શકીએ તો લોકોનો દોષ કાઢ્યા વિના આપણા વ્યવહારનો આપણે લોકો સાથે જીવેલા જીવનનો હિસાબ છે એમ સ્વીકારીશું. આપણો દોષ છે એમ પાક્કા પાયે સ્વીકારી લેવું પડશે. દરેક વખતે ગુનામાં સામેવાળાને કઠેડામાં રાખી શકશો નહીં તમારે પણ ક્યારેક કઠેડામાં ઊભા રહેવું પડશે.


     ત્યારે તમારાથી પીડિત લોકો ઉત્સાહમાં આવીને તમારી સ્થિતિ ઉપર તાળીઓ પાડે તો માઠું ન લગાડતા.  જાગી શકો તો જાગો. પછી સમય નથી. અલ્લાહ/ઈશ્વર સૌનું ભલું ભલે કરે. આપણું ભલું હજી આપણા હાથમાં છે.


Post a Comment

0 Comments